રાજદેવ પરિવાર

ગરીબી અને નુકસાનને પહોંચી વળવા તેમણે પોતાની સંપત્તિને સમાજના કલ્યાણ માટે સમર્પિત કરી

સમર્પિત કરવાની સાચી શ્રદ્ધા સાથે નિઃસ્વાર્થ બનીને તમારું જીવન લોકોની સેવામાં કેવી રીતે અર્પણ કરવું તે રાજદેવ પરિવારના લોહીમાં વણાયેલું છે.

Rakesh Rajdev (રાકેશ રાજદેવ) Father
પરિવારના મોભી

એક સુવિખ્યાત બિઝનેસમેન અને પરોપકારી વ્યક્તિ કે જેણે પોતાની સંપત્તિ અવિરત દાન અને સમાજના લાભ માટે અર્પણ કરી

સમાજ કલ્યાણની પહેલ કરવા ઉપરાંત શ્રી રાકેશ રાજદેવ દુબઈમાં આવેલી ટ્રેડિંગ કંપનીઓના સ્થાપક પણ છે.

APM Intl DMCC

APM Capital

ટ્રેડિંગના વિષયમાં વ્યાપક નિષ્ણાંતોની ટીમની સાથે આ કંપની સોના/ચાંદીના ઉચ્ચ ગુણવત્તાવાળા બુલિયનના ટ્રેડિંગ માટે સિક્યોર અને સેફ સોલ્યુશન ઓફર કરે છે. કોઈ પણ વ્યક્તિ બુલિયનમાં વાસ્તવિક રીતે રોકાણ કરી શકે છે, જે ક્વાલિટીમાં બેસ્ટ અને આંતરરાષ્ટ્રીય ધારાધોરણો પ્રમાણેના હોય છે.

APM Bullion: દુબઈમાં આવેલી ફિઝિકલ ગોલ્ડ એન્ડ સિલ્વર બુલિયન ટ્રેડિંગ કંપની

Courtyard by Marriott: દુનિયાની પ્રખ્યાત હોટલ ચૈન મેરિઓટ સાથે પાર્ટનરશીપમાં જ્યોર્જિયાના બતૂમી શહેરમાં Courtyard by Marriott, Batumi 5-સ્ટાર હોટલ

rakesh rajdev (રાકેશ રાજદેવ) with family
ભારતની પશ્ચિમે આવેલ ગુજરાત રાજ્યમાં સમૃદ્ધ અને ઉદાર રાજદેવ પરિવાર વસવાટ કરે છે. ઉદારતા જેઓનું મુખ્ય લક્ષણ છે તે આખા પરિવારને મળેલ છે. ઈશ્વરે તેમના કુટુંબને પ્રતિષ્ઠા, સંપત્તિ અને જીવનની બધી જ આવશ્યક ચીજોના આશીર્વાદ આપ્યા છે, જેના દ્વારા તેઓ પીડિત લોકોની વહારે આવ્યા છે. શ્રી રાકેશ રાજદેવ કે જેઓ પરિવારના અગ્રણી છે તેઓ તેમના બે બાળકો અને પોતાના જીવનસાથી રૂપલબેન રાકેશ રાજદેવ સાથે જીવનને આગળ ધપાવે છે. તેમના બાળકો પણ તેમના પગલે આગળ વધી રહ્યા છે અને તેમની આસપાસ રહેલા લોકોની મદદ કરીને એક અદભૂત જીવનનો આનંદ માણે છે.
શ્રીમાન રાકેશ રાજદેવના પિતા સ્વ. શ્રી પ્રતાપરાયજી રાજદેવ ઉદરતાના પ્રતિક અને માનવકલ્યાણની ભાવનાવાળા હતા. તેમનું સંપૂર્ણ જીવન સમામાં રહેલી ખોટને દૂર કરવામાં વીત્યું હતું. જેઓ રોજનું લઈને રોજનું ખાય છે તેમના માટે પોતાની પાસે રહેલી સંપત્તિ કઈ રીતે વહેંચવી તે તેમના જીવનનો મહત્વપૂર્ણ બોધપાઠ હતો. સામાજિક રીતે વંચીત વર્ગોના ઉત્થાન માટે સંપૂર્ણ સમર્પિત જીવન જીવીને ૧૯૯૬ માં તેઓએ અંતિમ શ્વાસ લીધા. તેઓ અહી પૃથ્વી પર નથી પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલા ઉમદા કાર્યો હજુ જીવંત છે અને તેમના પુત્ર – શ્રી રાકેશ રાજદેવ દ્વારા તેને આગળ ધપાવવામાં આવી રહ્યા છે.
Rakesh Rajdev (રાકેશ રાજદેવ) Father
rupal ben rajdev close up
એક હાઉસવાઈફ, વર્કિંગ લેડી, સામાજિક કાર્યકર અને પરોપકારી વ્યક્તિત્વ એટલે કે રૂપલબેન રાજદેવ કે જેઓ રાજદેવ પરિવારના મહત્વના અંગ છે. આ ઉપરાંત ભારતમાં આવેલી અગ્રણી કંપનીઓના માલિક પણ છે. પરંતુ તેઓ તેમના સમાજના પીડિતોની સહાય કરવાને એક પુણ્યનું કામ માને છે. તેઓ માનવકલ્યાણ અને પરમાર્થના ઉમદા કાર્યમાં તેમના પતિની સાથે હર હંમેશ હોય છે. આ વિષયમાં તેઓ બંને (શ્રી રાકેશ રાજદેવ અને શ્રીમતી રૂપલ રાજદેવ) રાજકોટમાં એક સામજીક કલ્યાણ સંસ્થા કાનુડા મિત્ર મંડળ ચલાવે છે કે જે સરકાર દ્વારા સ્વીકૃત છે.
એવું શું છે જે અમને બધાથી અલગ તારવે છે

માણસાઈની ઝાંખીઓ

આજના સ્વાર્થી સામાજમાં અન્યોની સુખાકારી માટે પહેલ કરવાની મહાન ભાવના રાખવી એ આશ્ચર્યજનક રીતે રાજદેવ પરિવાર દ્વારા લેવાયેલ એક મોટું પગલું છે.

દ્વારકામાં થ્રી સ્ટાર હોટલના માલિક

શ્રી રાકેશ રાજદેવ દ્વારકામાં આવેલી થ્રી સ્ટાર હોટલ- રોમાં ક્રિસ્ટો હોટલના માલિક છે. સમાજના માત્ર ઉચ્ચ વર્ગો નામાંકિત હોટલોને ગેધરિંગ માટેનું હબ માને છે. પરંતુ અહી એવું નથી, આ હોટલના દરવાજા સમાજના બધા જ વર્ગો માટે દિવસ રાત ખુલ્લા છે.

અહીની સ્વાદિષ્ટ વાનગીઓ તમારા હ્રદયને લલચાવવા ભાવભર્યું આમંત્રણ આપે છે!

સમાજ કલ્યાણની સંસ્થા NGO – પાયાનો પત્થર

પિતા સ્વ. પ્રતાપરાયને શ્રદ્ધાંજલિ આપતા નવેમ્બર ૨૦૧૧ માં શ્રી રાકેશ રાજદેવે રાજકોટમાં સમાજ કલ્યાણ સંસ્થા – કાનુડા મિત્ર મંડળનો પાયો નાખ્યો હતો.

આ મહાન હેતુને કારણે આ NGOએ અઢળક જરૂરિયાતમંદ લોકો અને પરિવારોની મદદ કરી છે.

મિસ્ટર અને મિસીસ રાજદેવે અલગ અલગ વિસ્તારોમાં ખોરાકનો પુરવઠો અને શાળાએ જતાં બાળકોને શૈક્ષણિક દાન આપ્યું છે.

કોવિડ-૧૯ માં માનવતાવાદી ભાવના

રાજદેવ પરિવારે કોરોનાના વૈશ્વિક રોગચાળાના સમયમાં વિવિધ ગરીબો અને તેમના પરિવારોને નાણાકીય સહાય પ્રદાન કર્યા હતા. મજૂરો અને રોજમદારોને ભોજન, કરિયાણું અને સેનિટાઈઝિંગ સામગ્રી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત શરણાર્થીઓ (કોરોનામાં કોઈ જગ્યાએ ફસાઈ ગયેલા લોકો) ને તેમના વતન સુધી પહોંચાડ્યા હતા. વિવિધ હોસ્પિટલ્સ અને મેડિકલ કોમ્પલેક્સિસને બેડસ, સેનિટાઇઝર્સ, ટેસ્ટિંગ કીટસ જેવી મેડિકલ સહાય આપી હતી. આમ, રાજદેવ પરિવારની માનવતાવાદી ભાવનાથી લગભગ તમામ સામાજિક ક્ષેત્રોને લાભ મળ્યો હતો.